પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 | Pandit Deendayal Awas Yojana 2024 | Pandit Dindayal Awas Yojana 2023-24 ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો, આદિવાસી જાતિઓ લોકો, વિમુક્ત અને વિચરતી જાતિઓ, પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું પાકું મકાન નથી, અને તેઓ જર્જરિત હાલતમાં છે.તેવા ગરીબ પરિવારોને પોતાનું નવું પાકું મકાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ આર્થિક રીતે મદદરૂપ થાય છે.

Pandit Dindayal Awas Yojana 2024

સરકારી યોજનાનું નામપંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024
યોજના પ્રસિદ્ધ કરનારઇ-સમાજ કલ્યાણ ગુજરાત સરકાર
મળવાપાત્ર સહાયની રાશિરૂ. 1,20,000/-
અધિકૃત વેબસાઇટ@esamajkalyan.gujarat.gov.in

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય 2024

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના આર્થિક રીતે પછાત અને ગરીબ પરિવારો, આદિવાસી જાતિઓ લોકો, વિમુક્ત અને વિચરતી જાતિઓના લોકો, પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો માટે પોતાનું નવું મકાન/ઘર બનાવવા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેથી ગુજરાત રાજ્યના આર્થિક રીતે પછાત અને ગરીબ પરિવારોને પોતાનું નવું મકાન મળી શકે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કોણ-કોણ લઇ શકે છે?

  • આ યોજનાનો લાભ લેવા માંગતો લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માંગતો લાભાર્થી ગુજરાત રાજ્યનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને ગરીબ પરિવાર, વિચરતી/વિમુકત જનજાતિના હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થી પાસે પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
  • આ યોજનાનો લાભ લેવા માંગતો  ઇચ્છુક લાભાર્થી પાસે કે પરિવારમાં કોઈ અન્ય વ્યક્તિ પાસે પાકું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ. જો પાકું મકાન કે પ્લોટ હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર ગણાશે નહીં.
  • જો પંડિત દિન દયાળ આવાસ યોજના હેઠળ લાભ લેવા ઇચ્છુક લાભાર્થી ગ્રામ્ય (રુરલ) વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજારથી વધુ ન હોવી જોઇએ.જો આવક તેના કરતાં વધુ હસે તો તેના આ યોજનાનો લાભ મળવાપાત્ર ગણાશે નહીં.
  • જો લાભાર્થી શહેરી (સિટી) વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજારથી વધુ ન હોવી જોઈએ. જો આવક તેના કરતાં વધુ હસે તો તેના આ યોજનાનો લાભ મળવાપાત્ર ગણાશે નહીં.
  • આ યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થીના પરિવારમાં કોઈ પણ સરકારી અધિકારી ન હોવો જોઈએ.
  • બી.પી.એલ (BPL) કાર્ડ ધારક હોય તેમને આ યોજનામાં પ્રાધાન્ય આપવામાં આવે છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે કોણ-કોણ અરજી શકે છે?

  • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને ગરીબ પરિવાર, વિચરતી/વિમુકત જનજાતિમાં સમાવેશ થતો હોવો જોઈએ.
  • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ કે પરિવાર પાસે પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
  • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ કે પરિવારએ ગુજરાત સરકારના અન્ય કોઈ ખાતામાંથી અન્ય યોજનાનો લાભ મેળવેલ ન હોવો જોઈએ.
  • આ યોજનામાં અરજી કરનાર પરિવારમાં કોઈ અન્ય વ્યક્તિ પાસે પાકું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ. જો પાકું મકાન કે પ્લોટ હોય તો તેવા વ્યક્તિ કે પરિવાર આ યોજનામાં અરજી કરવા પાત્ર ગણાશે નહીં.
  • આ યોજનામાં અરજી કરનાર જો ગ્રામ્ય (રુરલ) વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજારથી વધુ ન હોવી જોઇએ.જો આવક તેના કરતાં વધુ હસે તો તેના આ યોજનામાં અરજી કરવા પાત્ર ગણાશે નહીં.
  • જો યોજનામાં અરજી કરનાર શહેરી (સિટી) વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજારથી વધુ ન હોવી જોઈએ. જો આવક તેના કરતાં વધુ હસે તો તેના આ યોજનામાં અરજી કરવા પાત્ર ગણાશે નહીં.
  • આ યોજનામાં અરજી કરવા માંગતા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ સરકારી અધિકારી ન હોવો જોઈએ.
  • જો બી.પી.એલ (BPL Card) કાર્ડ ધારક હોય તેમને આ યોજનામાં પ્રાધાન્ય આપવામાં આવે છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

પ્રથમ પગલું : સૌપ્રથમ તમારે ઈ-સમાજ કલ્યાણની વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in ઉપર જવાનું રહેશે. ત્યાર બાદ તમારે તે વેબસાઈટમાં લોગીન કરવાનું રહેશે (યુઝર આઇડી તથા પાસવર્ડના આધારે લોગીન કરવું).

નોંધ : જો તમે પહેલેથી ઇ-સમાજ કલ્યાણની વેબસાઈટ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે પહેલા વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા રજીસ્ટ્રેશન કરતી વખતે તમને જે યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવે તે યાદ રાખો કાતો ક્યાંય નોધી લો, કેમ કે ઇ-સમાજ કલ્યાણની વેબસાઈટ પર લોગીન કરતી વખતે યુઝર આઇડી તથા પાસવર્ડની જરૂર પડે છે

દ્વિતીય પગલું : ઈ-સમાજ કલ્યાણની વેબસાઈટ લોગીન કર્યા પછી તમારે નિયામક જાતિ વિકાસ કલ્યાણના મેનૂમાં પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ તમારે પ્રથમ હપ્તા માટે અરજી કરો તેમાં ક્લિક કરવાનું રહેશે.

તૃતીય પગલું : ત્યારબાદ તમારે તમારી વ્યક્તિગત વિગત ભરવાનું પેજ જોવા મળશે. આ પેજમાં તમારે તમારી બધી વ્યકિતગત માહિતી ભરવાની રહેશે જેમ કે પાસપોર્ટ સાઈડનો ફોટો અપલોડ કરવો, અટક સાથેનું નામ લખવું, મોબાઈલ નંબર, તમારુ સરનામું, તમારી વાર્ષિક આવક કેટલી છે, તમે ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા છો, કુટુંબના સભ્યોની સંખ્યા કેટલી છે, બેન્ક એકાઉન્ટ નંબર વગેરે વગેરે વિગતોનો સમાવેશ થાય છે.આ માહિતી સંપુર્ણ સાચી અને પૂરી ભરાઈ ગયા પછી તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

ચતુર્થ પગલું : તૃતીય પગલું પૂર્ણ કર્યા બાદ હવે નવું પેજ ખુલશે જેમાં તમારા બેંક પાસબુક પ્રથમ પેજનો ફોટો, આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર વગેરે જેવા ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અપલોડ કરવાના બધા જ ડોક્યુમેન્ટની સાઈઝ 1MB થી ઓછી હોવી જરૂરી છે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી તમારે Save And Next બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફરીથી એક નવું પેજ ખુલશે જેમાં તમારે શરતો અને નિયમો વાંચ્યા છે. પછી ત્યાં આપેલાં ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે જેમાં લખેલું હશે ઉપર આપેલી બધા જ નિયમો અને શરતો થી હું સહમત છું.  પછી તમારે Save Application બટન પર ક્લિક કરવાનું રહેશે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે રજૂ કરવાના દસ્તાવેજ

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માટે ઓફલાઈન અરજી કરવા, ઓનલાઇન અરજી કરવા તથા રજૂ કરવા માટેના જરૂરી દસ્તાવેજોની લીસ્ટ અહીં આપવામાં આવેલ છે.

  • રહેઠાણનો પુરાવો (વીજળીનું બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ આમાંથી કોઈ પણ એક) (Proof of residence) 
  • આવકનો દાખલો (Income pattern)
  • જાતિનો દાખલો (An example of caste)
  • તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર
  • બેંક એકાઉન્ટનીપાસબુક (Bank account passbook)
  • અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • બી.પી.એલ (BPL) કાર્ડ 
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • બીજા અન્ય જરૂરી દસ્તાવેજો

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં લાભાર્થીને સહાયની રકમ

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023માં અરજી કરનાર લાભાર્થીને કુલ રૂ. 1,20,000/-ની સહાય મળવાપાત્ર થશે. આ રકમની રાશિની ચુકવણી ત્રણ અલગ અલગ મૂલ્યની રકમ હપ્તા સ્વરૂપે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમાં થશે.

પ્રથમ રાશી : પ્રથમ રાશીની રકમ રૂ. 40,000/- નો હશે. આ રકમ લાભાર્થીને નવુ પાકું મકાન/ઘરનું ચણતર કામ શરૂ કરવા માટે આપવામાં આવશે.

દ્વિતીય રાશિ : બીજી રાશિની રકમ રૂ. 60,000/- નો હશે. આ રકમ લાભાર્થીને મકાન/ઘરનું સ્તર લેટર લેવલે પહોંચતા મળે છે.

તૃતીય રાશિ : ત્રીજી અને અંતિમ રાશિની રકમ રૂ. 20,000/- છે.આ રાશિની રકમ લાભાર્થીનું મકાન/ઘર પૂર્ણ થવા પર હોય ત્યારે મળવાપાત્ર થશે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટેનું અરજી ફોર્મ અહી આપવામાં આવેલ છે. જે ઈ-સમાજ કલ્યાણની અધિકૃત વેબસાઇટ પર ઓનલાઇન મુકેલ છે. જે આ પેજમાં મુકવામાં આવેલ છે જે અરજદાર સહેલાઈથી ડાઉનલોડ કરી શકે છે.

અરજી ફોર્મ Download 
અધિકૃત વેબસાઈટ  Click Here 
ઓનલાઇન અરજી કરો રજીસ્ટ્રેશન   |   લોગીન 

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કોણ-કોણ લઈ શકે છે?

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, અનુસુચિત જનજાતિ, વિચરતી વિમુકત જાતિ માં સમાવેશ થતા તમામ લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મળવાપાત્ર સહાયની રાશિ કેટલી હોય છે?

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મળવાપાત્ર સહાયની રાશિ રૂ. 1,20,000/- હોય છે.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top